|
નર્મદા
જિલ્લામાં પોલીસ અધીક્ષકના નિયંત્રણ હેઠળ હાલમાં ના.પો.અધિ.શ્રી- ૩ અને પોલીસ
ઈન્સ્પેક્ટરશ્રી- ૬, પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી-૯, અને પોલીસ કર્મચારીઓ ૪પ૦ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેની ફરજ નીચે મુજબ બજાવે છે.
-
જિલ્લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓને કેટેગરી મુજબની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે છે.
-
જિલ્લામાં કોમ્યુનલ બનાવ
તેમ જ વર્ગ-વિગ્રહના બનાવો દરમ્યાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
-
જિલ્લામાં ધાર્મિક તહેવારો
તેમ જ મેળા ઉત્સવો સંબંધે અગાઉથી આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
-
જિલ્લામાં ધરણાં, રેલી, આત્મવિલોપન અને હડતાલ જેવા કાર્યક્રમો દરમિયાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
-
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે જયારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે.
|
|
|