પોલીસ અધિક્ષક, નર્મદા
http://www.spnarmada.gujarat.gov.in

કાયદો અને વ્યવસ્થાની જાળવણી

7/4/2025 6:56:55 AM

નર્મદા જિલ્લામાં પોલીસ અધીક્ષકના નિયંત્રણ હેઠળ હાલમાં ના.પો.અધિ.શ્રી- ૩ અને પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી- ૬, પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી-૯, અને પોલીસ કર્મચારીઓ ૪પ૦ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેની ફરજ નીચે મુજબ બજાવે છે.

  • જિલ્લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓને કેટેગરી મુજબની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે છે.

  • જિલ્લામાં કોમ્યુનલ બનાવ તેમ જ વર્ગ-વિગ્રહના બનાવો દરમ્યાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.

  • જિલ્લામાં ધાર્મિક તહેવારો તેમ જ મેળા ઉત્સવો સંબંધે અગાઉથી આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.

  • જિલ્લામાં ધરણાં, રેલી, આત્મવિલોપન અને હડતાલ જેવા કાર્યક્રમો દરમિયાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.

  • જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે જયારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે.